ગાંધીજી વિશે તમે આ જાણો છો?
👉 ગાંધીજીનું પૂરું નામ: મોહનદાસ કરમચંદ ગાંધી
👉 ગાંધીજીનું ઉપનામ: મહાત્મા ગાંધી
👉 ગાંધીજીનું હુલામણું નામ: “બાપુ” (ભારત,હિન્દુસ્તાન)
👉 ગાંધીજીનું હુલામણું નામ: “ભાઈ” (દ.આફ્રિકા)
👉 ગાંધીજીના પિતાનું નામ: કરમચંદ ઉત્તમચંદ ગાંધી
👉 ગાંધીજીના દાદાનું નામ: ઉત્તમચંદ ગાંધી
👉 ગાંધીજીના માતાનું નામ: પૂતળીબાઇ કરમચંદ ગાંધી
👉 ગાંધીજીની પત્નીનું નામ: કસ્તુરીબા
👉 ગાંધીજીના સંતાનોના નામ અને તેમની જન્મસાલ: (૧) હરિલાલ (ઈ.સ.૧૮૮૮)
(૨) મણિલાલ (ઈ.સ.૧૮૯૨)
(૩) રામદાસ (ઈ.સ.૧૮૯૭)
(૪) દેવદાસ (ઈ.સ.૧૯૦૦)
👉 ગાંધીજીની જન્મતારીખ: ૨ જી ઓક્ટોમ્બર ૧૮૬૯
👉 ગાંધીજીનું જન્મ-સ્થળ: (કીર્તિમંદિર),પોરબંદર
👉 ગાંધીજી જન્મતિથી: ભાદરવા બારસ ૧૯૨૫
👉 ગાંધીજીની હત્યા કરનાર: નથુરામ ગોડસે
👉 ગાંધીજીની અવસાનતારીખ: ૩૧ મી જાન્યુઆરી ૧૯૪૮
👉 ગાંધીજીની સમાધી: રાજઘાટ (દિલ્હી)
👉 ગાંધીજીની લગ્ન કર્યા ઉમર: ૧૩ વર્ષ (ત્યારે ગાંધીજી હાઈસ્કુલમાં ભણતા હતા)
👉 ગાંધીજીનો ધર્મ: હિંદુ (વૈષ્ણવ-વણિક)
👉 ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ: શ્રીમદ રાજચંદ્ર
👉 ગાંધીજીના રાજકીય ગુરૂ: ગોપાલકૃષ્ણ ગોખલે
👉 ગાંધીજીએ અભ્યાસકરેલ તે કોલેજ: શામળદાસ કોલેજ (ભાવનગર)
👉 ગાંધીજીનો અભ્યાસ: કાયદાની ઉપાધી
👉 ગાંધીજીએ જ્યાં બેરીસ્ટરની પદવી પ્રાપ્ત તે શહેર: લંડન
👉 ગાંધીજીનો વ્યવસાય: વકીલાત,સમાજ-સેવા
👉 ગાંધીજીના અંગત માણસ: મહાદેવભાઇ દેસાઈ
👉 ગાંધીજી આત્મ-કથા: “સત્યનાં પ્રયોગો”
👉 ગાંધીજી પહેલો સત્યાગ્રહ: “ચંપારણ સત્યાગ્રહ” (ભારત)
👉 ગાંધીજીનો પહેરવેશ: ધોતી,અંગરખું,ખેસ અને પાઘડી
👉 ગાંધીજીએ કરેલ સત્યાગ્રહ: ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ.
ગાંધીજી વિશે તમે આ જાણો છો?
જવાબ: વકીલાત કરવા માટે
2.ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?
જવાબ: ઈ.સ.1915
3.ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
જવાબ: સત્યાગ્રહ આશ્રમ
4.ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?
જવાબ: વલ્લભભાઈ પટેલ
5.ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ?
જવાબ: ગાંધીજીએ
6.ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમાં રહીને કર્યો?
જવાબ: મોતીહારી
7.પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ?
જવાબ: તુર્કીનો
8.ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?
જવાબ: 'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને
9.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
10.જલિયાંવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?
જવાબ: અમૃતસર
11.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો ?
જવાબ: જનરલ ડાયરે
12.ભારતનાં બધાં જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે . . .
જવાબ: તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.
13.વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?
જવાબ: બારડોલી
14.ક્યા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું ?
જવાબ: બારડોલી
15.બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?
જવાબ: 22%
16.'નેહરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?
જવાબ: પંડિત મોતીલાલ નેહરુએ
17.સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?
જવાબ: 26 જાન્યુઆરી 1950
18.ગાંધીજીએ શાની પદવી મેળવી હતી ?
જવાબ: બૅરિસ્ટરની
19.ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કેવો કાયદો કહ્યો હતો ?
જવાબ: કાળો કાયદો
20.જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
જવાબ: ઈ.સ.1919માં
21.ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?
જવાબ: સત્યાગ્રહ
22.કયા લોકો દક્ષિણ આફ્રિકાના મૂળ લોકોને પરાધીન બનાવીને દક્ષિણ આફ્રિકાના માલિક બની ગયા હતા ?
જવાબ: ગોરા લોકો
23.ગાંધીજીનું પૂરૂં નામ શું હતું ?
જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી
24.ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ગુજરાતના પોરબંદરમાં
25.ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?
જવાબ: કસ્તુરબા
26.ગાંધીજીના માતાનું નામ શું હતું ?
જવાબ: પૂતળીબાઈ
27.ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે
28.ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
જવાબ: શ્રીમદ્ રાજચંદ્ર
29.ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 2 ઓક્ટોબર,1869
30.ગાંધીજીનું મૃત્યું ક્યારે થયું ?
જવાબ: 30 જાન્યુઆરી,1948
31.ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?
જવાબ: દિલ્લી, રાજઘાટ
32.દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે કયા બંદરે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ?
જવાબ: મુંબઈના એપોલો બંદરે
33.દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલેના
34.ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?
જવાબ: 25 મે,1915
35.નીચેના સત્યાગ્રહોમાં સમયની દ્રષ્ટિએ ચડતા (પહેલાથી પછીના) ક્રમમાં કયું જોડકું સાચું છે ?
જવાબ: ચંપારણ, ખેડા, બારડોલી
36.ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?
જવાબ: 3/20 ભાગમાં
37.કોના આગ્રહથી ચંપારણમાં ગળી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ?
જવાબ: રાજકુમાર શુક્લના
38.ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ: ઇ.સ. 1917માં
39.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો ?
જવાબ: અતિવૃષ્ટિના કારણે
40.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું ?
જવાબ: મહેસૂલ ઉઘરાવવાનું
41.'સરકાર આપણી માંગણી ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી' ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાકય કોણ બોલ્યું હતું ?
જવાબ: ગાંધીજી
42.કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી ?
જવાબ: રૉલેટ ઍક્ટમાં
43.ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું ?
જવાબ: વલ્લભભાઈ પટેલે
44.ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ: ઇ.સ. 1917-1918માં
45.કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઇ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા ?
જવાબ: ખેડા સત્યાગ્રહે
46.જલિયાંવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજીત કરવામાં આવી હતી ?
જવાબ: ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની
47.જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?
જવાબ: દસ હજાર
48.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા ?
જવાબ: 379
49.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા ?
જવાબ: 1200
50.જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?
જવાબ: ગાંધીજીને
51.બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?
જવાબ: નાઇટહૂડનો
52.જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો ?
જવાબ: નાઇટહૂડનો
53.પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?
જવાબ: પરાજિત તુર્કી સાથે
54.'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?
જવાબ: ખિલાફત
55.મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી કયા આંદોલનનાં મુખ્ય નેતાઓ હતા ?
જવાબ: ખિલાફત
56.ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
જવાબ: વિદેશી કાપડના બહિષ્કારનો
57.ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી ?
જવાબ: જવાહરલાલ નહેરુએ
58.કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
જવાબ: ચૌરીચોરાના
59.ચૌરીચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી ?
જવાબ: પોલીસસ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવ્યા.
60.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકુ નામ શું છે ?
જવાબ: R.S.S.
61.બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ: ઇ.સ. 1928માં
62.બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા ?
જવાબ: પૂના
63.'નેહરુ અહેવાલ' શાના માટે હતો ?
જવાબ: ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા
64.'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?
જવાબ: મુસ્લિમ લીગની અસંમતિના કારણે
65.'પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ' પસાર કર્યો તે કૉંગ્રેસનું અધિવેશ કઈ નદીના કિનારે મળ્યું હતું ?
જવાબ: રાવી

No comments:
Post a Comment