📅 આ દિવસે જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જાણી લો ટિકિટની કિંમત...
📅 31 ઓક્ટોબરના રોજ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાના છે. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત તમે 31 ઓક્ટોબરથી નહીં લઈ શકો. રિપોર્ટ મુજબ 3 નવેમ્બરે સામાન્ય જનતા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખૂલ્લું મૂકવામાં આવશે. જેના માટે ટિકિટનું ઓનલાઇન વેચાણ પણ ચાલુ થઇ ગયું છે.
💻સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે
👉 https://www.statueofunity.in/ અથવા
👉 https://www.soutickets.in/ પર
ઓનલાઇન બૂકિંગ કરાવી શકશો. ટિકિટના દરની વાત કરીએ તો એન્ટ્રી ફી 120 રૂપિયા રાખવામાં આવી છે. 3થી 15 વર્ષના બાળકો માટે ટિકિટ 60 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય ઓબ્જર્વેશન ડેક વ્યૂથી શાનદાર નજારાનો આનંદ લેવો હોય તો તેના માટે 350 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 9થી 6 વાગ્યા સુધી મુલાકાત લઇ શકશો.
👉 https://www.statueofunity.in/ અથવા
👉 https://www.soutickets.in/ પર
ઓનલાઇન બૂકિંગ કરાવી શકશો. ટિકિટના દરની વાત કરીએ તો એન્ટ્રી ફી 120 રૂપિયા રાખવામાં આવી છે. 3થી 15 વર્ષના બાળકો માટે ટિકિટ 60 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય ઓબ્જર્વેશન ડેક વ્યૂથી શાનદાર નજારાનો આનંદ લેવો હોય તો તેના માટે 350 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 9થી 6 વાગ્યા સુધી મુલાકાત લઇ શકશો.
📢 સરદાર વલ્લભ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે અને તે દુનિયાના અજુબાઓમા સામેલ થવાની છે. PM મોદી 31 ઓક્ટોબરે તેનુ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો, તેન બનવામા કેટલો સમય લાગ્યો અને તે કેવી રીતે તૈયાર થઈ છે. અહીં, અમે તમને આ વિશાળ પ્રતિમા સાથે સંકળાયેલી તમામ જાણકારી આપી રહ્યા છીએ.
📣 સરદાર પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ બનવામા આશરે 44 મહિનાનો સમય લાગ્યો છે. મૂર્તિ બનાવવા માટે 800 સ્થાનિક અને 200 ચીનથી આવેલા કારીગરોએ પણ કામ કર્યું.
📣 મૂર્તિના નિર્માણ માટે કેન્દ્રમા મોદી સરકાર બન્યા બાદ ઓક્ટોબર 2014મા લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. માનવામા આવી રહ્યુ છે કે તેના નિર્માણ માટે આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.
📣 આ કામને નક્કી કરવામા આવેલી સમય મર્યાદામા પૂર્ણ કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટોમા કામ કર્યું. આ માટે થયેલા કુલ ખર્ચમા 2332 કરોડ રૂપિયા પ્રતિમાના નિર્માણ માટે અને 600 કરોડ રૂપિયા 15 વર્ષ સુધી તેની જાળવણી માટે છે.
📣 સરદાર સરોવર નર્મદા બંધ, હાઈવે અને હજારો કિલોમીટર નર્મદા નહેર બનાવનારા રાઠોડની દેખરેખમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક રેકોર્ડ સમયમા આશરે 44 મહિનામા બનીને તૈયાર થઈ ગઈ. જ્યારે અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમા 5 વર્ષનો સમય લાગ્યો હતો.
📣 સરદાર પટેલની આ મૂર્તિમા 4 ધાતુઓનો ઉપયોગ કરવામા આવ્યો છે જેમા વર્ષો સુધી કાટ નહીં લાગશે. સ્ટેચ્યુમા 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામા આવ્યો છે. સાથે જ 2 હજાર મેટ્રિક ટન કાંસુનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ઉપરાંત, 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિઈનફોર્સમેન્ટ પિત્તળનો ઉપયોગ કરવામા આવ્યો છે.
📣 આ મૂર્તિ 22500 મિલિયન ટન સિમેન્ટમાથી બની છે. આ મૂર્તિ જે પ્લેટફોર્મ પર ઊભી છે, ત્યાંથી તમે સરદાર ડેમનો સુંદર નજારો નિહાળ શકશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખૂણે-ખૂણાએથી લોખંડ મંગાવ્યુ હતુ, જેથી તે લોખંડ પટેલના સપનાને ફૌલાદી બનાવી દે. તેનો પાયો 2013મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો...
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment